Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયભગવાન બાલાજીના દરબારમાં પહોંચ્યા મોદી

ભગવાન બાલાજીના દરબારમાં પહોંચ્યા મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણામાં તિરુમાલા મંદિરની મુલાકાત લીધી હતી. તેમણે અહીં ભગવાન વેંકટેશ્વરની વિશેષ પૂજામાં ભાગ લીધો હતો. પીએમએ તિરુપતિ મંદિરની પોતાની તસવીરો પોસ્ટ કરી અને લખ્યું – ’તિરુમાલાના શ્રી વેંકટેશ્ર્વર સ્વામી મંદિરમાં 140 કરોડ ભારતીયોના સારા સ્વાસ્થ્ય, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.’ પ્રધાનમંત્રીએ કાર્તિક પૂર્ણિમા અને દેવદિવાળીના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.પીએમ 3 દિવસના તેલંગાણા પ્રવાસ પર છે. આ દરમિયાન તે ગઈકાલે રાત્રે (26 નવેમ્બર) તિરુપતિ પહોંચી ગયા હતા. પીએમની મુલાકાતને ધ્યાનમાં રાખીને, તિરુપતિ દેવસ્થાને જાહેરાત કરી છે કે VIP દર્શન 27 નવેમ્બરે રદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular