જામનગર શહેરમાં રહેતી સગીરાના નિકાહના 20 દિવસ પહેલાં જ પ્રસૂતિ પીડા થવાથી હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ત્યાં તેણીએ પુત્રાને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ સગીરા ઉપર તેના જ ભાવિ ભરથારે લગ્ન પહેલાં આચરેલા દુષ્કર્મને કારણે સગીરા કુંવારી માતા બની હતી.
મળતી વિગત મુજબ શહેરમાં રહેતા અને ડ્રાઇવિંગ કરતાં યુવાનની સગીરા પુત્રીના નિકાહને 20 દિવસનો સમય બાકી હતો તે પહેલાં જ સગીરાને પ્રસૂતિની પીડા થવાથી તેણીને જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ પુત્રને જન્મ આપ્યો હતો. આ ઘટના બાદ આ મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. જેમાં સગીરાના નિકાહના 20 દિવસ પહેલાં કુંવારી માતા બનતા આ મામલે પૂછપરછ હાથ ધરાતા તપાસ દરમ્યાન સગીરાને ભાવિ ભરથારે સગીરા તેણીના ઘરે એકલી હતી તે દરમ્યાન અવારનવાર દુષ્કર્મ આચરતો હતો અને આ દુષ્કર્મના કારણે સગીરા ગર્ભવતી બની હતી. ત્યારબાદ પોલીસે કુંવારી માતા બનનાર સગીરાની માતાની ફરિયાદના આધારે દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધી સગીરાના ભાવિ ભરથારની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.


