જામનગર શહેરના ચાંદી બજારમાંથી એલસીબીની ટીમે શખ્સને આંતરીને તલાસી લેતાં તેના કબ્જામાંથી રૂા.14,000ની કિંમતના 358 ગ્રામ વજનદાર 16 નંગ ચાંદીના છતર મળી આવતાં શકપડતી મિલ્કત તરીકે કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં ચાંદી બજાર વિસ્તારમાંથી શખ્સ પસાર થવાની એલસીબીના હેકો. વનરાજ મકવાણા અને એએસઆઇ માંડણભાઇ વસરાને મળેલી બાતમીના આધારે પીઆઈ એસ. એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા સહિતના સ્ટાફે વોચ ગોઠવી પસાર થતાં પ્રવીણ લખમણ પરમાર(રહે.લાલપુર) નામના શખ્સને આતંરીને તલાશી લેતાં તેના કબ્જામાંથી રૂા.14,000ના કિંમતના 358 ગ્રામ વજનના ચાંદીના 16 નંગ છતર મળી આવતાં શકપડતી મિલકત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


