Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તલાટી કમમંત્રીના પ્રશ્નોનો ઉકેલ લાવી હડતાળનો અંત...

ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમ માડમ દ્વારા તલાટી કમમંત્રીના પ્રશ્નોનો ઉકેલ લાવી હડતાળનો અંત લાવવા મુખ્યમંત્રીને રજૂઆત

- Advertisement -

તલાટી કમમંત્રીના પડતર પ્રશ્ર્નો અંગે ચાલતી રાજયવ્યાપી આંદોલનને સમર્થન આપી ખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઇ માડમ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલને પત્ર લખી આ આંદોલનના ઉકેલરૂપે પડતર પ્રશ્ર્નોના નિરાકરણની માંગણી કરવામાં આવી છે.

- Advertisement -

પત્રમાં જણાવ્યું છે કે, તા. 2-8-2022થી રાજયના તલાટી કમમંત્રી મહામંડળ દ્વારા રાજયવ્યાપી અચોકકસ મુદતની હડતાળ શરૂ કરવામાં આવી છે. ગ્રામ્ય પ્રજાના રોજબરોજના તમામ કામો તેમજ વહિવટી કામો અને સરકારી યોજનાઓની અમલવારીમાં મુખ્ય અંગ તલાટી કમમંત્રીનું સરકારની ગ્રામ વિકાસની તમામ કામગીરીમાં મહત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે તેમના વણઉકેલ્યા લાંબા સમયના પડતર પ્રશ્ર્નોનું ઝડપી ઉકેલ લાવી હડતાળનો અંત લાવવા આ પત્ર દ્વારા માંગણી કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular