Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરએક જ પેઢીના એક સાથે ત્રણ દિક્ષા ગ્રહણ કરશે

એક જ પેઢીના એક સાથે ત્રણ દિક્ષા ગ્રહણ કરશે

- Advertisement -

જૈન પરિવારના મુળ સિહોરવાળા (હાલ જામનગર) પરિવારના દાદા, પુત્ર, પૌત્ર એક સાથે ત્રણેય જુનાગઢમાં દિક્ષા ગ્રહણ કરશે.

- Advertisement -

પ.પૂ. ગચ્છાધિપતિ પ્રશાંતમુર્તિ આચાર્ય રાજેન્દ્રસુરિશ્ર્વરજી મ.સા.ના શુભાશિષ પ.પૂ. આચાર્યસમ પન્યાસ પ્રવર ચંદ્રશેખરવિજયજી મ.સા.ના દિવ્યાશિષ પ.પૂ. આચાર્ય હંસકિર્તીસુરિશ્ર્વરજી મ.સા.ના હસ્તે દિક્ષા પ્રદાન કરવામાં આવેલ પ.પૂ. આચાર્ય હેમવલ્લભસુરિશ્ર્વરજી મ.સા.ના ચરણે જીવન સમર્પિત થવા જઇ રહેલા અજીતભાઇ શાંતિલાલ શાહ (સિહોરવાળા) હાલ જામનગરનું તા. 24ના પૂનમના દિવસે દિક્ષાનું મુર્હુત પ્રદાન કરવામાં આવેલ હતું. આમ છેલ્લા ઘણા વર્ષોના જિનશાસનના ઇતિહાસમાં પ્રથમ વખત જુનાગઢમાં ગિરનાર દર્શન ધર્મશાળા, જુનાગઢ ખાતે તા. 13-3-24ના રોજ દિક્ષા મહોત્સવ યોજાશે. જેનો સમગ્ર દેશમાંથી સંઘો દ્વારા દિક્ષા નિહાળવાનો લાભ લેવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular