Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરપુત્રના મોતના આઘાતમાં માતાએ ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી

પુત્રના મોતના આઘાતમાં માતાએ ગળેટૂંપો દઈ જિંદગી ટૂંકાવી

ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોટા પુત્રનું મોત : ગુમસુમ રહેતી માતાની ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતી મહિલાનો પુત્ર ત્રણ માસ પહેલાં અકસ્માતમાં મૃત્યુ થયા ગુમસુમ રહેતી હતી અને પુત્રના આઘાતમાં માતાએ તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં આવેલા નહેરૂવાસમાં રહેતાં હિરલબેન પ્રભુભાઈ પરમાર (ઉ.વ.45) નામના મહિલાના મોટા પુત્ર હિમાંશુનું આશરે ત્રણ માસ અગાઉ અકસ્માતમાં મોત નિપજ્યું હતું. પુત્રના મોતની ઘટના બાદ માતા હિરલબેન ગુમસુમ રહેતાં હતાં અને પુત્રના આઘાતમાં જ ગત તા.28 ના રોજ સાંજના સમયે તેના ઘરે પંખાના હુકમાં સાડી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ પ્રભુભાઈ પરમાર દ્વારા જાણ કરાતા હેકો એ.જે. સિંહલા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular