Sunday, December 7, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં ચકકર આવતા પડી જવાથી ઘવાયેલા યુવાનનું મોત

જામનગરમાં ચકકર આવતા પડી જવાથી ઘવાયેલા યુવાનનું મોત

બીમારીના કારણે અવાર-નવાર ચકકર આવતા હતાં : સોમવારે રાત્રિના ચકકર આવતા પડી જતાં ગંભીર ઈજા: હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં રહેતાં યુવાનને વાલ્વની બીમારીના કારણે સોમવારે રાત્રિના સમયે તેના ઘરે ચકકર આવતા પડી જવાથી માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કડિયાવાડ વિસ્તારમાં આવેલી નાની પીપળા શેરી નં.11 માં રહેતાં પ્રકાશસિંહ ઉદયસિંહ પવાર (ઉ.વ.33) નામના યુવાનને હૃદયમાં કાણુ હોવાથી વાલ્વ અને ધમનીની બીમારીના કારણે લોહી સાફ થતું ન હોય જેથી અવાર-નવાર ચકકર આવતા હતાં. દરમિયાન સોમવારે રાત્રિના સમયે યુવાન તેના ઘરે લઘુશંકા કરીને બહાર આવતો હતો તે દરમિયાન એકાએક ચકકર આવતા પડી ગયો હતો. યુવાન પડી જતાં પગથિયાની ધાર માથામાં વાગતા ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનુું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ નિશાંત પવાર દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.એન. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular