Wednesday, March 18, 2026
Homeરાજ્યહાલારધુતારપરમાં શ્રમિક યુવકની આઠ માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત

ધુતારપરમાં શ્રમિક યુવકની આઠ માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી આપઘાત

પતિના ચારિત્ર્યની શંકા બાબતે દંપતિ વચ્ચે ઝઘડો : મનમાં લાગી આવતાં યુવકે આઠ માસની પુત્રી સાથે કૂવામાં ઝંપલાવ્યું : ડૂબી જતાં પિતા-પુત્રીના મોત

જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં ગઈકાલે ભારે કરુણાજનક કિસ્સો બન્યો છે. પ્રેમ લગ્ન કરનાર એક દંપત્તિ વચ્ચે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલા પ્રેમીએ પોતાની આઠ માસની પુત્રીને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું હતું, જેથી પિતા-પુત્રી બન્નેના મૃત્યુ નીપજતાં પરિવારજનોમાં ભારે ગમગીની ફેલાઈ છે. પોલીસે પિતા સામે પુત્રીની હત્યા નીપજાવવા અંગે ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ અરેરાટીજનક બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના વતની અને હાલ ધૂતારપર ગામમાં એક ખેડૂતની વાડીમાં આંટો દેવા આવેલા અકલેશભાઈ શંભુભાઈ નામના 21 વર્ષના શ્રમિક યુવકે ગઈકાલે પોતાની માત્ર આઠ માસની પુત્રી દેવિકા ને સાથે રાખીને વાડીના કૂવામાં ઝંપલાવી દીધું જેથી પિતા પુત્રી બંનેના ડૂબી જવાના કારણે મૃત્યુ નિપજતાં ભારે ગમગીની ફેલાઈ હતી. મૃતક યુવકની પત્ની દુર્ગાબેન અકલેશભાઈએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ એમ.એન. શેખ તેઓની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને પિતા પુત્રીના મૃતદેહનો કબ્જો સંભાળી સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી.

પોલીસમાં જાહેર થયા અનુસાર ફરિયાદી દુર્ગા દેવી કે જેના આજથી બે વર્ષ પહેલા અક્લેશ સાથે પ્રેમ લગ્ન થયા હતા, અને જામનગર તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના અલગ અલગ વાડી વિસ્તારમાં રહીને ખેત મજૂરી કામ કરતા હતા. દરમિયાન હોળીના તહેવારના દિવસે પતિ પત્ની બંને વચ્ચે ઝઘડો થયો હતો, પતિ ચારિત્ર્યની શંકા કરતો હોવાથી દુર્ગાબેન કે જે જામનગર તાલુકાના ઘુતારપર ગામમાં રહેતા ખેડૂત પોપટભાઈ નારણભાઈની વાડીમાં તેની માતા મજૂરી કામ કરે છે, જ્યાં માતા સાથે રહેવા લાગી હતી, અને પોતાની પુત્રી દેવિકાને પણ સાથે લઈને આવી ગઈ હતી. જ્યાં ગઈકાલે પતિ અકલેશભાઈ પહોંચ્યો હતો, અને ફરીથી બંને વચ્ચે ઝગડો થયો હતો, અને પ્રેમી અકલેશે પોતાની પુત્રી દેવિકા ને સાથે રાખી વાડીના કૂવામાં ઝંપલાવી દીધુ હતું, જેથી બન્ને ના મૃત્યુ નીપજ્યા હતા.

- Advertisement -

આ સમગ્ર મામલામાં પંચકોશી એ ડિવિઝનના પી.આઈ.એમ.એન. શેખ ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે અને દુર્ગાબેનની ફરિયાદના આધારે તેની પુત્રીની હત્યા નિપજાવવા અંગે પતિ અકલેશભાઈ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular