Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરબોટાદમાં પ.પૂ. સ્મૃતિબાઇ મ.સ. કાળધર્મ પામ્યા

બોટાદમાં પ.પૂ. સ્મૃતિબાઇ મ.સ. કાળધર્મ પામ્યા

આજે બપોરે પાલખીયાત્રા યોજાઇ

સ્થાનકવાસી જૈન સંઘ બોટાદમાં બિરાજીત ગચ્છાધિપતિ પ.પૂ. શૈલેષચંદ્રજી મ.સા. તથા પ્રર્વતિની પૂ. સવિતાબાઇ મ.સ.ના પરિવારના પ.પૂ. અરુણાબાઇ મ.સ.નુ સુશિષ્યા અને પ.પૂ. ઇન્દીરાબાઇ મ.સા.ના લઘુભગિીની બા.બ્ર.પ.પૂ. સ્મૃતિબાઇ મ.સ. 75 વર્ષની વયે 59 વર્ષના દિક્ષા પર્યાય સહિત તા. 13ના રાત્રીના 1:40 કલાકે સમાધિભાવે કાળધર્મ પામ્યા હતાં. આજરોજ બપોરે 12 વાગ્યે તેમની પાલખીયાત્રા યોજાઇ હતી. સ્થાનકવાસી જૈન સંઘ બોદાટ દ્વારા પાલખીયાત્રા નિકળે ત્યાં સુધીની પાંખી જાહેર કરી છે. તેમજ આવતીકાલ તા. 15ના સવારે પ્રવચન મધ્યે વિલેપાર્લેમાં પૂ. ધિરગુરુદેવની નિશ્રામાં ગુણાંજલિ રાખેલ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular