ધ્રોલમાં યુવાનને સંતાનમાં ત્રણ દીકરી હોય, દીકરો ન હોવાનું દુ:ખ હોય, વાડીએ જંતુનાશક દવા પી જિંદગી ટૂંકાવી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ગોકુલ પાર્ક 2માં રહેતા પ્રદ્યુમનસિંહ મહિપતસિંહ જાડેજા (ઉ.વ.38) નામના યુવાનને સંતાનમાં ત્રણ દીકરીઓ જ હોઇ, પોતાને દીકરો ન હોય તેવો અફસોસ કરતા હતા અને ગૂમસૂમ રહેતા હોય સંતાનમાં દીકરો ન હોવાના દુ:ખમાં તા. 1 જૂનના રોજ સવારના સમયે પોતાની વાડીએ જઇ પોતાના હાથે ઝેરી જંતુનાશક દવા પી આપઘાત કર્યો હતો. આ અંગે અલ્પેશસિંહએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ દોડી જઇ મૃતદેહને પીએમઅર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી.


