Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં કોવિડ વેકિસન માટે કઇ રીતે રજીસ્ટ્રેશન કરશો

જામનગરમાં કોવિડ વેકિસન માટે કઇ રીતે રજીસ્ટ્રેશન કરશો

- Advertisement -

આવતીકાલ તા.1 માર્ચથી 60 વર્ષથી ઉપરના નાગીરકો અને 45 થી 60 વર્ષ વચ્ચેના કોર્મોબીડીટી ધરાવતા નાગરિકોને રસી આપવામાં આવશે. જેનું રજીસ્ટ્રેશન આવતીકાલથી શરૂ થશે. કોવિડ વેકિસન લેવા માટે નીચે મુજબના પગલા લેવા જામનગર કલેકટર દ્વારા જણાવાયું છે.

- Advertisement -

કોવિડ વેકિસન માટે કઇ રીતે રજીસ્ટ્રેશન કરવું
co-win app, આરોગ્ય સેતુ એપનો ઉપયોગ કરો અથવા www.cowin.gov.in ઉપર લોગીન કરો.
મોબાઇલ નંબર એડ કરો.
એકાઉન્ટ ક્રિએટ કરવા ઓટીપી મેળવો.
આપનું નામ, ઉંમર અને જેન્ડર સહિતની માહિતી ભરો અને આઇડેનટીટી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
45 થી વધુ વયના લોકો ડોકટરએ આપેલું કોર્મોબીડીટી સર્ટીફિકેટ અપલોડ કરો.
સેન્ટર અને તારીખ સીલેકટ કરો.
એક મોબાઇલ નંબરમાંથી ચાર એપોયમેન્ટસ મેળવી શકાશે.

ટેકનોલોજીનો ઉપયોગ ન કરતા સિનિયર સીટીઝન માટે
તેઓ કોમન સર્વિસ સેન્ટર ખાતે જઇ રજીસ્ટર થઇ શકશે.
કોલ સેન્ટર નંબર 1507 પણ તેમના માટે ઉપલબ્ધ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular