Tuesday, January 13, 2026
Homeરાજ્યહાલારખંભાળિયામાં ઓટો રીક્ષા ચાલકની પ્રમાણિકતા

ખંભાળિયામાં ઓટો રીક્ષા ચાલકની પ્રમાણિકતા

ખંભાળિયાના રીક્ષા ચાલક એવા યોગેશભાઈ ગણાત્રાને અહીંના મિલન ચાર રસ્તા પાસેથી એક પાકીટ મળી આવ્યું હતું. જેમાં રૂા. 20,000 રોકડા તથા એક કોરો ચેક સહિતના જરૂરી ડોક્યુમેન્ટ હતા. યોગેશભાઈ દ્વારા આ અંગેની જાણ જિલ્લા ટ્રાફિક વિભાગના એએસઆઈ મનીષભાઈ દેવમુરારીને કરતા મનીષભાઈએ આ અંગે જરૂરી ખરાઈ કરી અને ઉપરોક્ત રોકડ રકમ તથા જરૂરી દસ્તાવેજો સાથેનું પાકીટ ભાટીયા ખાતે રહેતા રણછોડભાઈ મનજીભાઈ કણજારીયાનું હોવાથી આ અંગે જરૂરી કાર્યવાહી કરીને તે પાકીટ મૂળ માલિકને સુપ્રત કર્યું હતું. જેથી રણછોડભાઈએ પ્રમાણિક રીક્ષા ચાલક યોગેશભાઈ ગણાત્રાનો તેમજ સાથે જિલ્લા ટ્રાફિક પોલીસનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular