Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરખંભાળિયાની પરિણીતાને ચડત ભરણપોષણ ન ચૂકવતા આરોપી પતિને 320 દિવસની જેલ

ખંભાળિયાની પરિણીતાને ચડત ભરણપોષણ ન ચૂકવતા આરોપી પતિને 320 દિવસની જેલ

ખંભાળિયાની ફેમિલી અદાલતનો ચુકાદો

- Advertisement -

ખંભાળિયામાં રહેતા મુકેશભાઈ હિંડોચાની પુત્રી રશ્મિબેનના લગ્ન ગત તારીખ 9 ફેબ્રુઆરી 2020 ના રોજ રાજકોટ ખાતે રહેતા વિશાલ ધીરજલાલ કોટક સાથે હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી થયા હતા. લગ્ન બાદ દંપતિ રાજકોટ ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. લગ્નબાદ રશ્મિબેનને પતિએ થોડો સમય સારી રીતે રાખ્યા બાદ પતિ વિશાલ ધીરજલાલ કોટક તથા સસરા, સાસુ, જેઠ, જેઠાણી, દેર તથા દેરાણીએ તેણીને ઘરકામ બાબતે મેણાટોણા મારી, દહેજની માંગણી કરી હતી. આટલું જ નહીં, સાસરીયાઓએ આપશબ્દો કહી તેણીને શારીરિક તથા માનસિક દુ:ખ-ત્રાસ આપી અને તેણીનાની સ્ત્રીધનની ચીજ વસ્તુઓ રાખી લઈ અને ગત તારીખ 14 માર્ચ 2021 ના રોજ તેણીને પહેર્યા કપડે ઘરની બહાર કાઢી મૂકી હતી. આ અંગે ખંભાળિયાની કોર્ટમાં રશ્મિબેન દ્વારા ભરણપોષણ મેળવવાની પતિ વિશાલ સામે અરજી કરતા આ અરજી મંજૂર રાખવામાં આવી હતી. પરંતુ વિશાલે રશ્મિબેનને મળવાપાત્ર ભરણપોષણની રકમ નહીં ચૂકવતા તેમણે ખંભાળિયાની ફેમિલી કોર્ટમાં તેના પતિ સામે ચડત ભરણપોષણની રકમ વસૂલ મેળવવાની અરજી કરી હતી. જેમાં ફેમિલી કોર્ટના જજ શ્રી બારોટ દ્વારા વિશાલ ધીરજલાલ કોટકને 320 દિવસની જેલની સજાનો આદેશ કરી, સજાનું વોરંટ કાઢવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર તરફે જાણીતા એડવોકેટ જીતેન્દ્ર કે. હિંડોચા, તથા હર્ષિદાબેન કે. અસાવલા વિગેરે રોકાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular