Friday, April 19, 2024
HomeUncategorizedસ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શુ કહ્યું

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને હાઈકોર્ટે આપ્યો ચુકાદો, જાણો શુ કહ્યું

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીઓની મતગણતરીને લઇને ગુજરાત કોંગ્રેસ દ્રારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી કે તમામ મતગણતરી એક તારીખે કરવામાં આવે છે. કોંગ્રેસની અ અરજીને આજે ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. અને ચુકાદો આપતા જણાવ્યું છે કે મતગણતરી ચૂંટણીપંચે નક્કી કરેલ કાર્યક્રમ મુજબ જ કરવામાં આવે છે.

- Advertisement -

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને એક જ તારીખે મત ગણતરી કરવાની અરજી પર હાઇકોર્ટે ચુકાદો આપતા જણાવ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની મતગણતરી અગાઉ થયેલ જાહેરાત મુજબ જ થશે. હાઇકોર્ટ દ્રારા મતગણતરી એક સાથે કરવાની માંગણીને ફગાવવામાં આવી છે. મહાનગર પાલિકાની મતગણતરી 23 ફેબ્રુઆરીએ, તેમજ જીલ્લા અને તલુકા પંચાયતની મતગણતરી 2 માર્ચે જે રીતે ચૂંટણીપંચ દ્રારા નક્કી કરવામાં આવ્યું છે તે જ રીતે કરવામાં આવશે. એક જ તારીખે મત ગણતરી નહી યોજાય.

રાજ્યમાં કોરોના કાળના તમામ તૈયારીઓ સાથે મહાનગરપાલિકાઓની નગરપાલિકા 21 ફેબ્રુઆરી અને 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તેમજ 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે. જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. 6 મનપા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત, 231 તાલુકા પંચાયતમાં ચૂંટણીઓ યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular