Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરપાણીની મોટર ચાલુ કરવા જતાં પરિણીતા યુવતીનું વીજશોકથી મોત

પાણીની મોટર ચાલુ કરવા જતાં પરિણીતા યુવતીનું વીજશોકથી મોત

જામનગર શહેરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી પરિણીતા તેણીના ઘરે મોટર ચાલુ કરવા જતાં વીજશોક લાગતાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં મામાવાળી શેરીમાં રહેતા નંદનીબા મયૂરસિંહ જાડેજા (ઉ.વ.28) નામના પરિણીતા યુવતી ગત્ તા. 4ના રોજ બપોરના સમયે તેના ઘરે પાણીની મોટર ચાલુ કરવા જતા વીજશોક લાગ્યો હતો. ત્યારબાદ પરિણીતાને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન ગુરૂવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ મયૂરસિંહ દ્વારા જાણ કરાતા હે.કો. વાય. એમ. વાળા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular