જામનગર શહેરમાં બાળાઓ દ્વારા પ્રાચીન ગરબીમાં ગરબે ઘૂમી માતાજીની આરાધના કરી હતી. ત્યારે જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં 20000 જેટલી ગરબે ઘુમતી બાળાઓને લ્હાણી વિતરણ કરી તેમને પ્રોત્સાહિત કરી હતી.
માઁ આદ્ય શક્તિની આરાધનાનું પર્વ એટલે કે, નવરાત્રિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. નવરાત્રિને લઇ ખેલૈયાઓમાં અનેરો થનગનાટ જોવા મળ્યો હતો. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરની શેરી-ગલીઓ ચાચરના ચોક બન્યા હતાં. વિવિધ પ્રાચીન ગરબીઓમાં બાળાઓએ માતાજીની આરાધના કરી હતી.
અર્વાચિન ગરબીની સાથે સાથે આજેપણ પ્રાચીન ગરબીએ તેનું સ્થાન અકબંધ રાખ્યું છે. શેરી-ગલીઓમાં અનેક નાની-મોટી પ્રાચીન ગરબીઓ આજેપણ એટલી જ પ્રસિધ્ધ છે. ત્યારે માઁ જગાદંબા સ્વરુપ નાની બાળાઓ કે જે ગરબે રમતી હોય છે. તે બાળાઓને પ્રોત્સાહિત કરવા જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં 20000 જેટલી બાળાઓને લ્હાણીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જામનગર શહેરમાં 78-વિધાનસભા વિસ્તારની ગરબીઓમાં જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા કરવામાં આવેલા લ્હાણી વિતરણમાં સૌભાવપૂર્વક જોડાયા હતાં અને આ ભવ્ય સેવાયજ્ઞને સફળ બનાવ્યો હતો. નગરસેવકો, ગરબી સંચાલકો અને વોર્ડ પ્રમુખ, સંગઠનના હોદ્ેદારો, આગેવાનો સેવાભાવી ભાઇઓ-બહેનો સૌ દ્વારા લ્હાણી વિતરણના સમગ્ર આયોજન માટે પ્રશંસનિય જહેમત ઉઠાવવામાં આવી હતી અને લ્હાણીનું વિતરણ સુવ્યવસ્થિત કરવામાં આવ્યું હતું. આ તકે જામનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય રિવાબા રવિન્દ્રસિંહ જાડેજા દ્વારા લ્હાણી વિતરણની સેવા આપનાર સૌને બિરદાવી વિતરણ વ્યવસ્થામાં સહયોગી સૌનો આભાર પણ માન્યો હતો.