Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં કેટલાક ગામોમાં વિજળી માટે ખેડૂતોનો રોષ - VIDEO

જામનગરમાં કેટલાક ગામોમાં વિજળી માટે ખેડૂતોનો રોષ – VIDEO

ચાંપા બેરાજા, મસીતીયા અને વાવ બેરાજા ગામમાં સમસ્યા

જામનગર નજીક આવેલા ચાપા, બેરાજા મસિતીયા અને વાવ બેરાજા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને સિંચાઈ માટે જરૂરી પૂરતો સમય વીજળી ન મળતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

- Advertisement -

ત્રણેય ગામોના આગેવાનો દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનું કહેવું છે કે હાલના સમયમાં સિંચાઈ માટે વીજળી અત્યંત જરૂરી છે, પરંતુ જરૂરી સમયે પૂરતું વિજ પુરવઠો ન મળતા ખેતીને નુકસાન પહોંચે છે.
આ પરિસ્થિતિથી રોષે ભરાયેલા ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં પૂરતો સમય વીજળી ન આપવામાં આવે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવવા મજબૂર બનશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular