Friday, September 20, 2024
Homeરાજ્યહાલારઆરાધના ધામ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

આરાધના ધામ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા આમદભાઈ ચામડિયા નામના મુસ્લિમ વાઘેર વૃદ્ધ ગત તારીખ 2 ના રોજ ખંભાળિયા જામનગર હાઈવે પર આરાધના ધામ નજીકથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે આમદભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી, આરોપી કારચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે આમદભાઈના ધર્મ પત્ની જુબેદાબેન (ઉ.વ. 65) ની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે અજાણ્યા કારચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular