Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારઆરાધના ધામ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

આરાધના ધામ નજીક અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા વૃદ્ધ ઇજાગ્રસ્ત

ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા આમદભાઈ ચામડિયા નામના મુસ્લિમ વાઘેર વૃદ્ધ ગત તારીખ 2 ના રોજ ખંભાળિયા જામનગર હાઈવે પર આરાધના ધામ નજીકથી ચાલીને જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા એક અજાણ્યા મોટરકારના ચાલકે આમદભાઈને અડફેટે લેતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માત સર્જી, આરોપી કારચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ બનાવ અંગે આમદભાઈના ધર્મ પત્ની જુબેદાબેન (ઉ.વ. 65) ની ફરિયાદ પરથી વાડીનાર મરીન પોલીસે અજાણ્યા કારચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular