Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવલ્લભકુળમાં યજ્ઞપવિત પ્રસ્તાવ ઉત્સવ અંતર્ગત હાસ્ય કલાકારનો કાર્યક્રમ યોજાયો

વલ્લભકુળમાં યજ્ઞપવિત પ્રસ્તાવ ઉત્સવ અંતર્ગત હાસ્ય કલાકારનો કાર્યક્રમ યોજાયો

જામનગરની પુષ્ટિ સંપ્રદાય મોટીહવેલીના ગાદિપતિ પૂ.પા.ગો. 108 હરિરાયજી મહારાજના પુત્ર પૂ.પા.ગો. વલ્લભરાયજી મહોદયના દ્વિતિય આત્મજ પૂ.પા.ગો. પ્રેમાદ્રરાયજી (ચિ. પિતાંબરજી) તથા દોહિત્રા અ.સૌ. રૂચિરાજા-બેટીજી તથા અખિલેશજી ચક્રવર્તિના પુત્ર ચિ. અભિનવકુમાર અ.સૌ. નિલમરાજા-બેટીજી તથા ચંદ્રમોહનજી શર્માના પુત્ર ચિ. દક્ષકુમાર તેમજ અ.સૌ. હેમાંગીરાજા-બેટીજી તથા મનિષજી કરંજીના પુત્ર ચિ. આયુષકુમારનો શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ સં. 2079 (ગુર્જર સંવત 2078) વૈશાખ સુદ 10- તા. 11 મેના દિવસે મેહુલનગર એક્સચેન્જ રોડ પર શ્રીજી મેરેજ હોલ પાછળના મેદાનમાં જામનગર મુકામે નિર્ધારીત કરવામાં આવ્યો છે. પ્રસ્તાવના મંગલમય આયોજન સાથે મોટી હવેલી-જામનગર મુકામે બિરાજતા મહાપ્રભુજીના નિધિ ગદાધરદાસજીના સેવ્ય મદનમોહન પ્રભુના તા. 3 થી તા. 8 સુધી વિવિધ મનોરથો અને દર્શનનું સાયં 5:30 પછી આયોજન કરાયું છે. તા. 10ના રોજ કુલદેવતા સ્થાપન અને વૃધ્ધિની સભાનું 11 કલાકે આયોજન કરાયું હતું. ગઇકાલે સોમવારે રાત્રે 9:30 વાગ્યે હાસ્ય કલાકાર ગુણવંતભાઇ ચુડાસમા દ્વારા હાસ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular