Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે

મંત્રી સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપશે તેમજ વિવિધ ગામડાઓમાં લોકસંપર્ક યોજશે

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલથી બે દિવસ જામનગર જિલ્લાના પ્રવાસે છે.

- Advertisement -

મંત્રી આવતીકાલ તા.7 જાન્યુઆરીના રોજ સવારે 8:00 કલાકે ધ્રોલ ઓફિસે લોકસંપર્ક યોજશે. ત્યારબાદ સવારે 10:00 કલાકે તેઓ કસ્તૂરબા વિકાસગૃહ જામનગરમાં બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળામાં હાજરી આપશે. સવારે 11:30 કલાકે ધી જામનગર ડિસ્ટ્રિક્ટ કો. ઓ. બેન્કની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં હાજરી આપશે. બપોરે 12:30 કલાકથી સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્ક યોજશે. સાંજે 5 વાગ્યાથી મંત્રીશ્રી ખીજડીયા, જાંબુદ અને શેખપાટ ખાતે લોકસંપર્ક યોજી સન્માન કાર્યક્રમોમાં હાજરી આપશે. રાત્રે 10:00 કલાકે તેઓ રણજીતનગર પટેલ સમાજ ખાતે આયોજિત સાંઈરામ દવેના ભવ્ય લોકડાયરાના કાર્યક્રમમાં હાજરી આપશે.

તા.8 જાન્યુઆરીના રોજ મંત્રી સાંજે 4:00 કલાકે જામનગર રણજીતનગર પટેલ સમાજમાં આયોજિત લેઉઆ પટેલ સેવા સમાજ જ્ઞાતિ સમૂહભોજન કાર્યક્રમમાં હાજરી આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular