Saturday, December 6, 2025
Homeબિઝનેસકેવાયસી અપડેટ નહીં હોય તો બેંક ખાતુ થશે સ્થગિત

કેવાયસી અપડેટ નહીં હોય તો બેંક ખાતુ થશે સ્થગિત

દેશની બેન્કો અને નાણાકીય સંસ્થાઓના ગ્રાહકો માટે એક એલર્ટ છે જેઓએ પોતાના કેવાયસી- નો ઓફ કસ્ટમર અપડેટ કરાવ્યા નથી તેઓના ખાતા તા.1 જાન્યુ. 2022થી ફ્રીઝ થઈ શકે છે. ગ્રાહકોએ બેન્કમાં કે નાણાકીય સંસ્થાઓમાં કેવાયસી અપગ્રેડેશન માટે જે જરૂરી દસ્તાવેજો છે તે હ્જુ જેઓએ અપડેટ કરાવ્યા ન હોય તેઓ આ માટે બેન્ક કે નાણાકીય સંસ્થાનો સંપર્ક કરી શકે છે.

- Advertisement -

રિઝર્વ બેન્ક નાણાકીય સંસ્થાઓ તથા બેન્કોને તેના ગ્રાહકોને કેવાયસી ગ્રાહકોના કેવાયસી નિયમીત સમયમાં અપડેટ કરવા કહે છે જેથી આ નાણાકીય વ્યવહારોમાં કોઈ ગેરરીતિ વિ. હોય કે પછી બેનામી વ્યવહાર હોય તો તે દૂર કરી શકાય છે. સામાન્ય રીતે આ કામગીરી દર 10 વર્ષે કરવાની હોય છે પરંતુ હવે જે રીતે બેન્કીંગ- નાણાકીય સંસ્થાઓ સાથેની પ્રવૃતિ વધી છે તેથી તે દર પાંચ વર્ષ પણ કરાય છે. જો કે બેન્કો ખુદ આ અંગે અવારનવાર ડ્રાઈવ ચલાવે છે પણ જેઓને બેન્ક મારફત લેખીત જાણ થાય તેઓએ આ અપડેટ કરાવી લેવું જરૂરી છે. જો કે એક બાબતની ખાસ ચિંતા કરે કે બેન્કો કદી ઓનલાઈન કે ફોન પર આ પ્રકારના અપડેટ માંગતી નથી તેથી આ પ્રકારના કોલ આપે કે મેઈલ આવે અને તેમાં કોઈ લીંક પર કલીક કરીને અપડેટ કરવા માટે જણાવાય અને તમારી પાસે વનટાઈમ પાસવર્ડ કે બેન્ક-નાણાકીય સંસ્થા સાથેના ખાતાના યુઝર્સ નેઈમ, પાસવર્ડ માંગે તો તે આપવાના નથી. બેન્કો કે કોઈ નાણા સંસ્થાઓ આ પ્રકારે વિગતો માંગતી નથી તેથી ફકત બ્રાન્ચ પર જવાની આળસે જ ઓનલાઈન પ્રક્રિયામાં પડવાનું જોખમ લેતા નથી તેવી ચેતવણી બેન્કો અને આરબીઆઈ અવારનવાર આપે જ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular