Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરઆયુર્વેદ, સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો

આયુર્વેદ, સ્વાસ્થ્ય અને શ્રીધાન્ય મેળો સાંસદના હસ્તે ખુલ્લો મુકાયો

ઈતિહાસમાં પ્રથમવખત જામનગરના આંગણે આઈટીઆરએ દ્વારા આયુર્વેદ, સ્વાસ્થ્ય અને શ્રી ધાન્ય મેળાનું ચાર દિવસીય આયોજન કરવામાં આવ્યું છે. જે આજરોજ પ્રણામી સંપ્રદાયના મહંત કૃષ્ણમણીજી મહારાજઅ ને હાલારના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ તકે જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારી, સ્ટે. કમિટિ ચેરમેન મનિષભાઈ કટારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, આઈટીઆરએ ડાયરેકટર અનુપ ઠાકર ઉપસ્થિત રહ્યાં હતાં અને આ હેલ્થ એન્ડ મિલેટસ એકસપોની મુલાકાત લઇને સર્વે સ્ટોલ ધારકોનો ઉત્સાહ વધાર્યો હતો.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular