Wednesday, March 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે વૈદ્ય આનંદ જયસ્વાલની નિમણૂંક

જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે વૈદ્ય આનંદ જયસ્વાલની નિમણૂંક

2005 થી જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારીની જગ્યા ઈન્ચાર્જમાં ચાલતી હતી : 20 વર્ષ પછી આ જગ્યા પર અધિકારીની નિમણૂંક : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા 41 અધિકારીઓની બઢતી સાથે બદલી : 7 અધિકારીઓની બદલીના ઓર્ડર

- Advertisement -

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના આયુર્વેદ અધિકારીઓની બદલી અને બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં જામનગર જિલ્લા આયુર્વેદ અધિકારી તરીકે બઢતી સાથે વૈદ્ય આનંદ જયસ્વાલને મુકવામાં આવ્યા છે. રાજ્યના 7 અધિકારીઓની બદલી તથા કુલ 41 અધિકારીઓની બતી સાથે બદલી કરવામાં આવી છે.

- Advertisement -

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના આયુષ પ્રભાગ હેઠળના જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ગ-1 તથા વૈદ્ય પંચકર્મ વર્ગ-1 તરીકે ફરજ બજાવતા 7 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના સરકારી આયુર્વેદ દવાખાના/હોસ્પિટલ ખાતે મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-ર/ રેસીડેન્ટ મેડિકલ ઓફિસર (આયુર્વેદ) વર્ગ-2 તરીકે ફરજ બજાવતા અધિકારીઓને મદનીશ નિયામક (આયુર્વેદ)/જિલ્લા આયુર્વેદ અધિકારી/નાયબ હોસ્પિટલ અધિક્ષક/વૈદ્ય પંચકર્મ વર્ગ-1 તરીકે બઢતી આપવામાં આવી છે. જામનગર જિલ્લાના જોડિયા સરકારી આયુર્વેદ દવાખાનામાં ફરજ બજાવતા વૈદ્ય આનંદ ડી. જયસ્વાલને જિલ્લા આયુર્વેદ અધિકારી વર્ગ-1 જામનગર તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના બુધેલ સરકારી આયુર્વેદ દવાખાનામાં ફરજ બજાવતાં વૈદ્ય પિયુષ એમ. રાવની જિલ્લા આયુર્વેદ અધિકારી વ્ગ-1 દ્વારકા તરીકે બઢતી સાથે બદલી કરવામા આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular