Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરના વધુ એક બુટલેગરની પાસામાં ધરપકડ

જામનગર શહેરના વધુ એક બુટલેગરની પાસામાં ધરપકડ

- Advertisement -

જામનગર શહેરમાં દારૂના એક ડઝનમાં સંડોવાયેલા બુટલેગર વિરૂધ્ધ એલસબીની ટીમ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટરે મંજૂર કરતાં પોલીસે બુટલેગરની ધરપકડ કરી સુરતની લાજપોર જેલમાં ધકેલી દેવાયો હતો.

- Advertisement -

વિગત મુજબ જામનગર શહેરમાં દિ. 49માં આશાપુરા મંદિરના પાછળના વિસ્તારમાં રહેતા જીગર ઉર્ફે રવિફુશ મનસુખ નાખવા નામના શખસ વિરૂધ્ધ પ્રોહિબિશનના એક ડઝનથી વધુ ગુન્હા નોંધાયેલા હોય જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબીના પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથાસ્ટાફ દ્વારા કરાયેલી પાસાની દરખાસ્ત કલેકટર બી.એ. શાહ દદ્વારા મંજૂર કરાતા એલસબીએ જીગરને દબોચી લઇ સુરતની લાજપોર જેલમાં ધકેલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular