Friday, September 20, 2024
Homeરાજ્યજામનગરએનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

એનડીપીએસ એકટના કેસમાં ફરાર આરોપી ઝડપાયો

- Advertisement -

પશ્ચિમી કચ્છ ભુજના જખૌ મરીન પોલીસ સ્ટેશનના એનડીપીએસ એકટના કેસના ફરાર આરોપીને જામનગર એસઓજી પોલીસ એ જામનગરમાંથી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પશ્ચિમી કચ્છ ભુજના જખૌ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એનડીપીએસ એકટના કેસનો આરોપી પરાક્રમસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નાસતો ફરતો હોય આ દરમિયાન એસઓજીના હેકો અરજણભાઈ કોડીયાતર, મયુદ્દીનભાઈ સૈયદ તથા રમેશભાઈ ચાવડાને મહાકાળી સર્કલ પાસે હવાની બાતમી મળતા જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એસઓજી પીઆઇ બી.એન. ચૌધરી તથા પીએસઆઇ જે.ડી.પરમારના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન બાતમીવાળા સ્થળે થી પરાક્રમસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના શખ્સને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે સિટી સી પોલીસને સોંપી આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular