Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરચાવડા નજીક ટ્રેન હડફેટે આવી જતા ખેતમજૂર યુવાનનું મોત

ચાવડા નજીક ટ્રેન હડફેટે આવી જતા ખેતમજૂર યુવાનનું મોત

જામનગર તાલુકાના ચાવડા ગામની સીમમાં ખેતમજૂરી કરતો યુવાન હટાણુ કરી વાડીએ આવતો હતો તે દરમિયાન રેલવે ટ્રેક ક્રોસ કરતા સમયે ટે્રન હડફેટે આવી જતા શરીરે ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જિલ્લાનો વતની અને હાલ ચાવડા ગામની સીમમાં આવેલી ભગીરથસિંહ જાડેજાની વાડીમાં ખેતમજૂરી કરતો ધર્મેન્દ્રભાઈ કિશોરભાઈ ભુરીયા (ઉ.વ.33) નામનો યુવાન શુક્રવારે રાત્રિના સમયે ગામમાંથી હટાણુ કરી વાડીએ આવતો હતો તે દરમિયાન ગામની સીમમાં આવેલા રેલવે ટે્રક ક્રોસ કરતો હતો તે સમય ટે્રન આવી જતા અથડાતા શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્નિ લલિતાબેન દ્વારા જાણ કરાતા હેકો ડી.એ. રાઠોડ તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.ચાવડા નજીક ટે્રન હડફેટે આવી જતા ખેતમજૂર યુવાનનું મોત

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular