Friday, October 18, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં આધેડ સેલ્સમેનનો ઝેરી દવા પી આપઘાત

જામનગર શહેરમાં આધેડ સેલ્સમેનનો ઝેરી દવા પી આપઘાત

કે.વી. રોડ પર 12 દિવસ પૂર્વે દવા ગટગટાવી : જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ : પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર રહેતાં સેલ્સમેન આધેડે અગમ્યકારણોસર કે વી રોડ પર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર કુકડા કેન્દ્ર પાસેના વિસ્તારમાં રહેતાં મનોજભાઇ શ્યામભાઈ રામાનંદી (ઉ.વ.49) નામના સેલ્સમેન આધેડે ગત તા.8 ના રોજ સાંજના સમયે કે.વી રોડ પર અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં યુવાનને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જ્યાં તેનું સારવાર દરમિયાન ગુરૂવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર મિલનભાઇ દ્વારા જાણ કરાતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular