Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા ભાવસાર ચકલામાં જર્જરીત મકાન તોડી પડાયું

જામ્યુકો દ્વારા ભાવસાર ચકલામાં જર્જરીત મકાન તોડી પડાયું

જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ દરબારગઢ નજીક આવેલ સંગાડિયા બજારમાં ભાવસાર ચકલા વિસ્તારમાં આવેલ જર્જરીત મકાન તોડી પાડવામાં આવ્યું હતું. લોટ દળવાના મીલનું અંદાજે 100 વર્ષ જૂનુ મકાન હોય અને હાલમાં જર્જરીત હાલતમાં હોય આ અંગે જામ્યુકો દ્વારા મિલ્કતધારકને ચાર દિવસ પૂર્વે નોટિસ આપવામાં આવી હતી. આમ છતાં મિલ્કતધારક દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા જામ્યુકોની એસ્ટેટ શાખાએ આ જર્જરીત મકાનને તોડી પાડયું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular