Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં વેપારી સાથે લાખોની છેતરપિંડી

જામનગર શહેરમાં વેપારી સાથે લાખોની છેતરપિંડી

ઉછીના આપેલા ત્રણ લાખમાંથી 50 હજાર પરત કર્યા : ખોટી સહીવાળો ચેક આપી અઢી લાખની છેતરપિંડી : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

જામનગર શહેરના નિલકમલ સોસાયટી વિસ્તારમાં રહેતાં વેપારી યુવાનને વિશ્વાસમાં લઇ ત્રણ લાખની રકમ પેટે રૂા.50 હજાર પરત આપી બાકીના રૂા.2.50 લાખની છેતરપિંડી આચર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
છેતરપિંડીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નિલકમલ સોસાયટી શેરી નં.4 માં રહેતાં વિશાલભાઈ વિનોદભાઈ ખખર નામના વેપારી યુવાને મુકેશ વશરામ રાઠોડ નામના શખ્સને વિશ્વાસ રાખી ત્રણ લાખ ઉછીના આપ્યા હતાં. આ રકમ પેટેે મુકેશએ રૂા.50000 પરત આપી દીધા હતાં જ્યારે બાકીના અઢી લાખ રૂપિયાની ચૂકવણી ન કરતાં મુકેશે પાસે ઉઘરાણી કરી હતી. જેથી મુકેશે વેપારીને ખોટી સહીવાળો ચેક આપી છેતરપિંડી આચર્યાની જાણ કરતા પીએસઆઈ આર.કે. ખલિફા તથા સ્ટાફે વેપારી વિશાલભાઈના નિવેદનના આધારે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular