Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબોર્ડની પરિક્ષા માટે જામનગર જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન કાર્યરત થશે

બોર્ડની પરિક્ષા માટે જામનગર જિલ્લા કક્ષાએ હેલ્પલાઇન કાર્યરત થશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.28/03/2022 થી તા.12/04/2022 દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. માર્ચ-2022માં લેવાનાર આ જાહેર પરીક્ષા સંદર્ભે વિદ્યાર્થીઓ, વાલીઓ, શાળાઓને માર્ગદર્શન મળી રહે તે માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર કાર્યરત રહેશે.

- Advertisement -

હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર:1088 233 5500 તા.14/03/2022 થી તા.12/04/2022 સુધી સવારે 10-00 થી સાંજે 06-30 સુધી કાર્યરત રહેશે. તદઉપરાંત જામનગર જિલ્લા કક્ષાએ પણ હેલ્પલાઇન સેન્ટરમાં (1) આર.કે.આણદાણી-કંટ્રોલ રૂમ અધીકારી નં-0288-2553321 (2) એસ.ડી.કચ્છલા નં-9712002759 (3) એમ.ટી.વ્યાસ નં-9824518199 (4) કમલેશભાઇ શુકલા નં-9913701771 (5) કેશુભાઇ ઘેટીયા નં-9427774173 (6) પી.સી.સુરેજા નં-9898847096 (7) કમલેશભાઇ વિસાણી નં-7698094142 (8) વિજયાબેન બોડા નં-9426979992 (9) સુરભીબેન પંડ્યા નં-9726711865 (10) જયસુખભાઇ ચાવડા નં-9824206264 કાર્યરત રહેશે. આ હેલ્પલાઇન સેન્ટરો પરથી વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓ તા. 14/03/2022 થી તા.12/04/2022 સુધી માર્ગદર્શન મેળવી શકશે.

આ સાથે આગામી તા.28/03/2022 થી તા.12/04/2022 દરમિયાન ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવનાર છે. આ પરીક્ષા અન્વયે ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10-30 થી 13-45 તથા બપોરે 15-00 થી 18-30 કલાક તેમજ ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનો સમય સવારે 10-00 થી 13-15 કલાક રહેશે. આ પરીક્ષામાં દરેક પરીક્ષા સેન્ટરોમાં પરીક્ષાર્થીઓએ સમયસર પ્રવેશ મેળવી પોતાને ફાળવેલ પરીક્ષા સ્થળ, બ્લોક અને બેઠક નંબર જોઇ બેઠક લઇ લેવાની રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીની યાદી દ્વારા જણાવવામાં આવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular