Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરકૃષિમંત્રીનો જામનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

કૃષિમંત્રીનો જામનગર જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

મંત્રી વિવિધ ગ્રામમાં લોક સંપર્ક, એ.પી.એમ.સી. જોડીયા ખાતે ખેડૂતો સાથે બેઠકમાં હાજરી આપશે

કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજીભાઇ પટેલ જામનગર જિલ્લાની મુલાકાતે આવનાર છે, જેમની આ મુલાકાત દરમિયાન તેઓ તા.24/12/2021 શુક્રવારના રોજ સવારે 8 કલાકે ધ્રોલ ખાતે લોકસંપર્ક, 9:30 કલાકે એ.પી.એમ.સી. જોડીયા ખાતે અતિવૃષ્ટિ અને પૂરથી ઉંડ-2 તથા આજી-4 સિંચાઇ યોજનાના નીચવાસના તૂટી ગયેલ કાંઠા અંગેના પ્રશ્ર્નો બાબતે ખેડુતો સાથે બેઠક યોજશે, ત્યારબાદ 11:30 થી 17 કલાક દરમિયાન સરકિટ હાઉસ ખાતે લોકો સંપર્ક યોજી લોકોને રૂબરૂ મળશે. મંત્રી જામનગરના ગ્રામ્ય વિસ્તારો ગોકુલપરા, બાળા, મોટીબાણુંગર, નાની બાણુંગર ખાતે 17.45 થી 19.45 દરમ્યાન લોકસંપર્કમાં હાજરી આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular