Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરVideo : છોટીકાશી ખાતે અધિક માસમાં 84 બેઠકજીના દર્શન

Video : છોટીકાશી ખાતે અધિક માસમાં 84 બેઠકજીના દર્શન

- Advertisement -

હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિમાં પુજાપાઠ અને વ્રતનું ખૂબ મહત્વ હોય છે. જ્યારે હાલ અધિક માસ ચાલી રહ્યો છે. ત્યારે દરેક શ્રધ્ધાળુઓ ભગવાની ભાવથી આ મહિનામાં પૂજા-પાઠ, દાન કરીને પૂણ્યનું ભાથુ બાંધે છે. ત્યારે જામનગરમાં માધવરાયજીના મંદિરે ભાવિકો માટે 84 બેઠકના દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

છોટીકાશીમાં દરેક ઉત્સવો ખૂબ ઉત્સાહથી ઉજવાય છે. દરેક મંદિરોમાં હાલ પુરૂષોતમ માસ નિમિત્તે ખાસ વિશેષ દર્શન ગોઠવામાં આવે છે.

- Advertisement -

જામનગરના ખંભાળિયા નાકા બહાર આવેલ માધવરાયજી મંદિર ખાતે અધિક માસમાં આવેલી પ્રથમ અગિયારસના 84 બેઠકજીના વિશેષ દર્શનનો ભકતોએ લાભ લીધો હતો. મંદિરના પુજારીએ આ દર્શનના મહત્વ વિશે વાત કરતા કહ્યું હતું કે, આચાર્ય શ્રી મહાપ્રભુજીએ આખા ભારતમાં 84 જગ્યાઓ પર શ્રીમદ ભાગવત વાંચી હતી. જેથી આ 84 સ્થળો પર બેઠકજીનું મહત્વ છે. આ બેઠકના દર્શન માધવરાયજી મંદિર ખાતે કરાતા ભકતોએ આ દર્શનનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular