Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરવાલસુરા દ્વારા 75 કિ.મી.નું સાઇકલિંગ અભિયાન

વાલસુરા દ્વારા 75 કિ.મી.નું સાઇકલિંગ અભિયાન

ારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ઈંગજ વાલસુરા દ્વારા 75 કિલોમીટર સાઇકલિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. 100 થી વધુ નૌકાદળના કર્મચારીઓ અને બાળકો સહિતના પરિવારોએ ભારે ઉત્સાહ અને જોશ સાથે ભાગ લીધો હતો. આઈએનએસ વાલસુરાથી જામનગર શહેર થઈને સસોઈ ડેમ સુધી સાઈકલિંગ અભિયાન અને સમગ્ર નાગરિક સમુદાયને ઉત્સાહિત કર્યો જેમણે સમગ્ર માર્ગમાં સાઈકલ સવારોને ઉત્સાહિત કર્યા અને પ્રોત્સાહિત કર્યા.

- Advertisement -



જિલ્લા વહીવટીતંત્રના જીવનસાથીઓ અને બાળકો સહિતના મુખ્ય મહાનુભાવોએ પણ સાઇકલિંગ અભિયાનમાં ભાગ લીધો હતો, જેમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, આઇએએસ અને રાગિણી પારધી પણ નોંધપાત્ર હતા. “આઝાદી કા અમૃત મહોત્સવ” ની ઉજવણી માટે ગામલોકો દ્વારા સાસોઇ ડેમ પર સાઇકલ સવારોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular