Saturday, January 10, 2026
Homeરાજ્યજામનગરશહેરમાં બાકી મિલકતવેરા ધારકો પાસેથી 6.37 લાખની વેરા વસુલાત

શહેરમાં બાકી મિલકતવેરા ધારકો પાસેથી 6.37 લાખની વેરા વસુલાત

જામનગર મહાનગરપાલિકાની મિલકત વેરા શાખા દ્વારા તા. 15 ડિસેમ્બરના રોજ કુલ 34 બાકીદારો પાસેથી રૂા. 6.37 લાખની વેરા વસુલાત કરી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની મિલકતવેરા શાખા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત માટે સઘન ઝુંબેશ ચલાવાઇ રહી છે. જે અંતર્ગત વધુ 6.37 લાખની વેરા વસુલાત કરવામાં આવી છે. જામનગર શહેરના વોર્ડ નં. 2માંથી બે આસામીઓ પાસેથી રૂા. 38000, વોર્ડ નં. 4માં એક આસામી પાસેથી રૂા. 73000, વોર્ડ નં.5માં 5 આસામીઓ પાસેથી રૂ.1,32,330, વોર્ડ નં.8માં 3 આસામીઓ પાસેથી રૂ.13,553, વોર્ડ નં.9 માં 1 આસામીઓ પાસેથી રૂ.33,230, વોર્ડ નં.10માં 1 આસામી પાસેથી રૂ.12,500, વોર્ડ નં.11માં 4 આસામીઓ પાસેથી રૂ.59,188, વોર્ડ નં.13માં 6 આસામીઓ પાસેથી રૂ.73,724, વોર્ડ નં.14માં 2 આસામીઓ પાસેથી રૂ.25,820, વોર્ડ નં.15માં 5 આસામીઓ પાસેથી રૂ.50,271, વોર્ડ નં.17માં 3 આસામીઓ પાસેથી રૂ.71,675 અને વોર્ડ નં.19માં 1 આસામી પાસેથી રૂ.54,000સહિત કુલ-34 આસામીઓ પાસેથી કુલ રૂ.6,37,291ની વસુલાત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular