Friday, October 18, 2024
Homeરાજ્યહાલારવસંતપુર નજીકથી 11 કે.વી.નો વીજવાયર તસ્કરો ચોરી ગયા

વસંતપુર નજીકથી 11 કે.વી.નો વીજવાયર તસ્કરો ચોરી ગયા

97 હજારની કિંમતના 3570 મીટર વાયરની ચોરી : પીજીવીસીએલ નાયબ ઈજનેર દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -

જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં બાલા હનુમાનજી મંદિરથી હોથીજી ખડબા તરફ જતી 11 કે.વી. ફીડરના 34 ગાળાના 3570 મીટર વીજવાયર અજાણ્યા તસ્કરો ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

ચોરીના બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના વસંતપુર ગામમાં બાલા હનુમાનજી મંદિરથી હોથીજી ખડબા જતી 11 કે.વી. ગઢ ખેતીવાડી ફીડરના એલ્યુમિનિયમના 34 ગાળાના ત્રણ વીજવાયર (55 એમએમ – 2) અજાણ્યા તસ્કરો ગત તા.07 જુલાઈની રાત્રિના સમય દરમિયાન ધારદાર કટર અથવા કોઇ સાધન વડે કાપીને તેમાંથી રૂા.97,088 ની કિંમતનો 3570 મીટર લાંબો વીજવાયર ચોરી કરી ગયા હતાં. આ ચોરી અંગે પીજીવીસીએલના નાયબ ઈજનેર શીરીષકુમાર પટેલ દ્વારા જાણ કરાતા એએસઆઇ યુ.પી. પરમાર તથા સ્ટાફે અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ગુનો નોંધી ચોરીનો ભેદ ઉકેલવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular