Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર નજીકથી પસાર થતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માતમાં યુવાનનું મોત

જામનગર નજીકથી પસાર થતા ચાલકે કાબુ ગુમાવતા અકસ્માતમાં યુવાનનું મોત

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સપ્તાહ પૂર્વે અકસ્માત: ગંભીર ઈજા પહોંચતા સારવાર કારગત ન નિવડી: પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર સાંજના સમયે બાઈકચાલકે બાઈક પરનો કાબુ ગુમાવી દેતા સ્લીપ થવાથી અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા ચાલકનું સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર-રાજકોટ ધોરીમાર્ગ પર યુનો ઓઇલ ડેપો પાસે ગત તા.9 ના રોજ સાંજના 4 વાગ્યાના અરસામાં જીજે-10-સીઆર-9148 નંબરનો બાઈકચાલક પ્રકાશ હમીરભાઈ પરમાર નામના યુવાને તેનું બાઈક બેફીકરાઈથી ચલાવી સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા બાઈક સ્લીપ થતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં પ્રકાશને શરીરે તથા માથામાં ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું સારવાર કારગત નિવડી તે પહેલાં મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે પ્રવિણભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular