Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા નજીક રિક્ષા પલ્ટી જતાં યુવાનનું મૃત્યુ

ખંભાળિયા નજીક રિક્ષા પલ્ટી જતાં યુવાનનું મૃત્યુ

કૂતરું આડું ઉતરતાં સર્જાયો અકસ્માત : અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી

ખંભાળિયા નજીક કૂતરું આડું ઉતરતાં રિક્ષા પલ્ટી ખાઇ જતાં રિક્ષાચાલક યુવાનનું ગંભીર ઇજાઓ થવાથી મૃત્યુ નિપજયું હતું. જ્યારે રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પરથી પસાર થતી જીજે03-એયુ-5124 નંબરની છકડો રિક્ષા વડત્રા ગામ પાસે પહોંચતા એકાએક કૂતરૂં આડું ઉતરતાં રિક્ષાનું ટાયર ડિવાઇડર પર ચઢી જતાં રિક્ષા પલ્ટી ખાઇ ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષાચાલક એવા જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ધરારનગર ખાતે રહેતાં અજયભાઇ રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.25) નામના યુવાનને ગંભીર ઇજાઓ પહોંચતા સારવારઅર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર કારગત ન નિવડતા તેનું મૃત્યુ નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી.
આ અંગે રાજુભાઇ હરજીભાઇ ચૌહાણ દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ હોસ્પિટલ દોડી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમઅર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular