Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરજામનગરના મોખાણા નજીક ખુટીયો બાઈક સાથે અથડાતા યુવાનનું મોત

જામનગરના મોખાણા નજીક ખુટીયો બાઈક સાથે અથડાતા યુવાનનું મોત

સોમવારે બપોરના સમયે મોખાણાનેશ નજીક બનાવ: સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારના વિસ્તારમાં રહેતો યુવાન નવા મોખાણા નેસવાડા રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન બાઈક આડે ખુટીયો અથડાતા પડી જતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર આવેલી સામ સોસાયટીમાં રહેતો સાદીકભાઈ યાસીનભાઈ ગઢકાઈ (ઉ.વ.28) નામનો યુવાન સોમવારે બપોરના સમયે તેના બાઈક પર જામનગર તાલુકાના નવા મોખાણા નેસવાડા રોડ પરથી આવતો હતો તે દરમિયાન મોખાણા નજીક એકાએક ખુટીયો સામે આવી જતાં બાઈક સાથે અથડાયો હતો. ખુટીયો અથડાતા અકસ્માતમાં યુવાન બાઈક પરથી નીચે પટકાતા પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન બુધવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા યાસીનભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.એસ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular