Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગર શહેરમાં યુવતીની ગળેફાંસો ખાઇ આત્મહત્યા

જામનગરના ઇન્દિરા કોલોનીમાં રહેતી યુવતીએ તેના ઘરે ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી.

આ બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં વામ્બે આવાસ લીલાપીઠના વાળા પાસે ઇન્દિરા કોલોનીમાં રહેતી સોનલીબેન રમેશભાઈ પરમાર (ઉ.વ.22) નામની યુવતીએ શનિવારે બપોરના સમયે તેના ઘરે રસોડાના આડહરના લોખંડના પાઈપમાં ચુંદડી વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા નો પ્રયાસ કરતાં સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત નિપજયાનું તબિબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગે રમેશભાઈ દ્વારા જાણ કરતાં હેકો.અમિતભાઈ નિમાવત તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular