Saturday, December 6, 2025
Homeરાજ્યપતિ રિસામણે જતા વ્યથિત યુવાનનો આપઘાત

પતિ રિસામણે જતા વ્યથિત યુવાનનો આપઘાત

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામના વાડી વિસ્તારમાં રહેતા અજુભાઈ દેવશીભાઈ લધા નામના 32 વર્ષના યુવાનના પત્ની છેલ્લા કેટલાક દિવસોથી તેણીના માવતરે રિસામણે બેઠા હોય અને તેણી ઘર ચલાવવા માંગતા ન હોવાથી આ બાબત અજુભાઈના મનમાં લાગી આવતા તેણે પોતાના હાથે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમનું મૃત્યુ નિપજયુ હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના ભાઈ સનાભાઈ દેવશીભાઈ લધાએ મીઠાપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular