Saturday, January 17, 2026
Homeરાજ્યલાલપુર તાલુકાના કાનાલુસમાં યુવાનનું મૃત્યુ

લાલપુર તાલુકાના કાનાલુસમાં યુવાનનું મૃત્યુ

લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં રહેતાં યુવાનનું કોઇ કારણસર બેશુદ્ધ થઈ જતાં સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં આવેલી લેબર કોલોની 10 માં બ્લોક નં.3/10 માં રહેતાં રામપતિ રૂખી રજવાળ (ઉ.વ.46) નામના યુવાન કોઇપણ રીતે બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની દિનેશકુમાર ચંદ્રવંશી દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.ઓ. કુરેશી તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular