Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરપત્ની અવાર-નવાર જતી રહેતા પતિએ જિંદગી ટૂંકાવી

પત્ની અવાર-નવાર જતી રહેતા પતિએ જિંદગી ટૂંકાવી

ખરેડીમાં તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી

કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં રહેતાં યુવાનની પત્ની અવાર-નવાર ઘરેથી જતી રહેતાનું મનમાં લાગી આવતા તેના ઘરે લાકડાની આડીમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના ખરેડી ગામમાં પ્રકાશનગર વિસ્તારમાં રહેતા મુન્નાભાઈ વેરશીભાઈ પરમાર (ઉ.વ.35) નામના દેવીપૂજક યુવાનની પત્ની અવાર-નવાર ઘરેથી જતી રહેતી હતી. આ બાબતનું મનમાં લાગી આવતા મુન્નાએ બુધવારે વહેલીસવારના સમયે તેના ઘરે લાકડાની આડીમાં દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા સારવાર માટે કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ફરજ પરના તબીબોએ મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા વેરશીભાઈ દ્વારા જાણ કરાતા પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular