Thursday, January 15, 2026
Homeરાજ્યજામનગરદડિયા ગામે યુવાનનો કુવામાં પડી આપઘાત

દડિયા ગામે યુવાનનો કુવામાં પડી આપઘાત

જામનગર જીલ્લાના દડિયા ગામે યુવાને પોતાની વાડીએ પાણીના કુવામાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. પોલીસ દ્વારા મૃતદેહનો કબજો સાંભળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, દડિયા ગામે રહેતો રાણાભાઇ હીરાભાઈ શીયાર (ઉ.વ.21) નામનો યુવાન 15 દિવસ પૂર્વે અગમ્ય કારણોસર પોતાના ઘરેથી કોઈને કહ્યા વગર જતો રહ્યો હતો. ત્યારબાદ શનિવારે સાંજના સમયે પોતાની વાડીએ પાણીના કુવામાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ અંગે રામજીભાઈ શીયાર દ્વારા પોલીસને જન કરાતા હે.કો. કે.સી.જાડેજા તથા સ્ટાફે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular