વિઘ્નહર્તા દેવ ગણપતિના મહાપર્વ ગણેશોત્સવની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. આ સાથે ખંભાળિયાના મૂળ વતની અને રાજ્યસભાના સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડાયરેક્ટર, કોર્પોરેટ અફેર્સ તેમજ ઈશ્વરમાં અપરંપાર શ્રદ્ધા ધરાવતા પરિમલભાઈ નથવાણીના નિવાસ્થાન ખાતે પણ દુંદાળા દેવને સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમના દ્વારા ગણપતિ પૂજન સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાયા છે.


