Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગર રંગમતી ડેમ માંથી 30 માર્ચ પાણી છોડવામાં આવશે... - VIDEO

જામનગર રંગમતી ડેમ માંથી 30 માર્ચ પાણી છોડવામાં આવશે… – VIDEO

નિચાણ વારા વિસ્તારમાં આવતા ગામને સાવચેત કરાયા

- Advertisement -

જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલ રંગમતી ડેમમાં યાંત્રીક વિભાગ દ્વારા ડેમના તમામ ગેટ રીપેરીંગ તથા નવા બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે. 30 માર્ચના સવારે 7 વાગે 57.00 એમ.સી.એફ.ટી પાણી છોડવામાં આવશે. તેથી નિચાણ વારા વિસ્તારમાં આવતા જામનગર શહેર સહીતના 7 ગામને સાવચેત કરાયા છે. જેમાં ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જુનાનાગના, નવાગામ ધેડ ગામના નદીના પટમાં અવર જવર ના કરવા તેમજ સાવચેત રહેવા માટે સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રંગમતી ડેમમાં રહેલા પાણીને કેનાલ મારફતે શહેરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular