Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરહાલારી ભાનુશાળી કિશાનચોક મિત્ર મંડળ દ્વારા જામનગરથી કચ્છ માતાના મઢ પદયાત્રા -...

હાલારી ભાનુશાળી કિશાનચોક મિત્ર મંડળ દ્વારા જામનગરથી કચ્છ માતાના મઢ પદયાત્રા – VIDEO

- Advertisement -

નવરાત્રિનું પર્વ નજીક આવી રહ્યું હોય ત્યારે જામનગરના હાલારી ભાનુશાળી કિશાનચોક મિત્ર મંડળ દ્વારા સતત 11માં વર્ષે આસો નવરાત્રી નિમિત્તે જામનગરથી કચ્છ માતાના મઢ પદયાત્રા સંઘનું આયોજન કરવામાં આવ્યું છે. ગઇકાલે જામનગરથી કચ્છ પદયાત્રા સંઘ જતો હોય. જ્ઞાતિના અગ્રણીઓ દ્વારા આ પદયાત્રા સંઘને પ્રસ્થાન કરાવ્યું હતું. સંઘપતિ રાજેશભાઇ લખીયરના પદયાત્રા સંઘનું જ્ઞાતિના પ્રમુખ કિરીટભાઇ ભદ્રા, મંત્રી મિહીરભાઇ નંદા, જ્ઞાતિના કારોબારી સભ્યો તથા વિરોધપક્ષ નેતા ધવલભાઇ નંદા, કેતનભાઇ નાખવા, સંદીપભાઇ કટારમલ, નલીનભાઇ નંદા, જયેશભાઇ લખીયર તથા મોટી સંખ્યામાં જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી પદયાત્રીઓનું પ્રસ્થાન કરાવી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પદયાત્રા સંઘમાં એક યુવતિ આંખે પાટો બાંધી માતાના મઢે જવા રવાના થઇ હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular