Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરહોળી-ધૂળેટીના પર્વમાં વીરપુર જલારામ મંદિર ત્રણ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

હોળી-ધૂળેટીના પર્વમાં વીરપુર જલારામ મંદિર ત્રણ દિવસ દર્શનાર્થીઓ માટે બંધ રહેશે

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આગામી સમયમાં હોળી-ધૂળેટીના તહેવારો આવી રહ્યા હોય કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વિવિધ મંદિરો તથા ફરવાના સ્થળો બંધ કરવામાં આવી રહ્યાં છે. ત્યારે પવિત્ર યાત્રાધામ વીરપુર જલારામ મંદિર પણ હોળી-ધૂળેટીના પર્વ દરમ્યાન બંધ રાખવા નિર્ણય કરાયો છે. વર્તમાન પરિસ્થિતિમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાને લઇ આગામી તા.27 થી 30 માર્ચ સુધી પવિત્ર યાત્રાધામ વીરપુર જલારામ બાપાનુ મંદિર દર્શનાર્થીઓ માટે ત્રણ દિવસ બંધ રહેશે. જલારામ મંદિરના ગાદીપતિ પૂ. રઘુરામ બાપા દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને લઇ આ નિર્ણય લેવાયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular