Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારખંભાળિયામાં ચઢતા પહોરે ધુમ્મસના સામ્રાજ્યથી વાહનો ટકરાયા

ખંભાળિયામાં ચઢતા પહોરે ધુમ્મસના સામ્રાજ્યથી વાહનો ટકરાયા

ખંભાળિયા પંથકમાં શીત ઋતુની વિદાય થઈ રહી છે અને ઉનાળાનો આભાસ થઈ રહ્યો છે. ત્યારે ગત રાત્રે તથા રવિવારે સવારે વાતાવરણમાં ધુમ્મસ ઉતરી આવી હતી. આ ધુમસના કારણે ગઈકાલે રવિવારે સવારે હાઈવે પર વિઝબીલીટી ઘટી જતા વાહનો ટકરાયા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ખંભાળિયા પંથકમાં રવિવારે સવારે ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે જામનગર હાઈ-વે પર આવેલા ટોલનાકા નજીકથી પસાર થતા વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ખંભાળિયાથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા ટોલ ગેઈટ પાસે ગાઢ ધુમ્મસના કારણે ત્રણ વાહનો ટકરાયા હતા અને આ વાહનોમાં નાની-મોટી નુકસાની થવા પામી હતી. જોકે સદભાગ્ય મોટી જાનહાની થઈ ન હતી. ગાઢ ધુમ્મસના કારણે ખાસ કરીને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular