Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં અંધાશ્રમ નજીક ટ્રેન હેઠળ અજાણ્યા યુવાનનું મોત

જામનગરમાં અંધાશ્રમ નજીક ટ્રેન હેઠળ અજાણ્યા યુવાનનું મોત

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ ઓવરબ્રીજ નીચે અંધાશ્રમ સામે આવેલા રેલવેના પાટા પર મધ્યરાત્રિના સમયે પસાર થતી ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા યુવાનનું મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ સામે દિગ્જામ ઓવરબ્રીજ નીચે રેલવે ટ્રેક પરથી ગત રાત્રિના પસાર થતી ટ્રેન હેઠળ આશરે 35 વર્ષના અજાણ્યા યુવાન હડફેટે આવી જતાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગેની રોહિતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એન.જે. રાવલ તથા સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી અજાણ્યા યુવાનનો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી મૃતકની ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular