Monday, January 12, 2026
Homeરાજ્યધ્રોલના માજોઠ ગામના ડેમમાં નાહવા પડેલા પાંચમાંથી બે યુવકોના મોત

ધ્રોલના માજોઠ ગામના ડેમમાં નાહવા પડેલા પાંચમાંથી બે યુવકોના મોત

દરગાહે માનતા પુરી કરવા ગયા : ફાયરના જવાનો દ્વારા મૃતદેહો બહાર કાઢ્યા

જામનગરમાં રહેતો મુસ્લિમ પરિવાર કે. આજે ધ્રોલ તાલુકાના માજોઠ ગામના ડેમમાં પાસે આવેલ દરગાહ એ માનતા પુરી કરવા માટે ગયા હતા. અને તે દરમિયાન પાંચ યુવાનો ડેમમાં ન્હાવા પડયા હતા. જેમાંથી બે યુવકો ડેમમાં ડૂબી જતાં પરિવારના સભ્યોને જાણ કરતા જોડિયા અને ધ્રોલની 108 એમ્બ્યુલન્સની ટિમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ડૂબી ગયેલા બે યુવાનોને બહાર કાઢી જોડિયા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

જયાં બંનેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યું હતું. આ દુર્ઘટનામાં જામનગરમાં રહેતા આસિફ સીદીક જુણેજા(ઉ.વર્ષ 18) અને આસિફ ઇબ્રાહિમ જુણેજા (ઉ.વર્ષ.19) નામના બે યુવાનોના મોત નિપજવાથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular